ઝવેરચંદ મેઘાણીને શ્રધ્ધાંજલિ @કવિ લાલજી કાનજી-(નળિયા-કચ્છ)
*******************************************************************************
મેઘો વરસે મોસમે , એકલડાં પાણી;
વાણી ને પાણી , અણથંભ્યો મેઘાણી.
ગિરિ અર્બુદને આંગણે,ચંદ તણી વાણી;
ગરજાવ્યો ગિરનારને , ગરવો મેઘાણી.
ઓસરતાં'તાં ઓટમાં,વીર તણાં પાણી;
ભરતી આણી ઓટમાં, ચાંદા - મેઘાણી.
રતન રઝળતાં રેણુમાં,થાતાં ધૂળધાણી;
રજ છાંટી પ્રકશાવિયા, ઝવેરી મેઘાણી.
વજ્જર દિલનો વાણિયો,વજ્જરશી વાણી;
સૂના સમદર પાળ પર,રોયો મેઘાણી.
કાલ પટાન્તર ભેદીને , અમર કથા આણી;
અમર તરુવર ડાળીએ ,મ્હોર્યો મેઘાણી.
(સન ૧૯૪૭ )
*******************************************************************************
મેઘો વરસે મોસમે , એકલડાં પાણી;
વાણી ને પાણી , અણથંભ્યો મેઘાણી.
ગિરિ અર્બુદને આંગણે,ચંદ તણી વાણી;
ગરજાવ્યો ગિરનારને , ગરવો મેઘાણી.
ઓસરતાં'તાં ઓટમાં,વીર તણાં પાણી;
ભરતી આણી ઓટમાં, ચાંદા - મેઘાણી.
રતન રઝળતાં રેણુમાં,થાતાં ધૂળધાણી;
રજ છાંટી પ્રકશાવિયા, ઝવેરી મેઘાણી.
વજ્જર દિલનો વાણિયો,વજ્જરશી વાણી;
સૂના સમદર પાળ પર,રોયો મેઘાણી.
કાલ પટાન્તર ભેદીને , અમર કથા આણી;
અમર તરુવર ડાળીએ ,મ્હોર્યો મેઘાણી.
(સન ૧૯૪૭ )
No comments:
Post a Comment