Monday, January 5, 2015

ઝવેરચંદ મેઘાણીને શ્રધ્ધાંજલિ @કવિ લાલજી કાનજી-(નળિયા-કચ્છ)

ઝવેરચંદ મેઘાણીને શ્રધ્ધાંજલિ @કવિ લાલજી કાનજી-(નળિયા-કચ્છ)
*******************************************************************************

મેઘો વરસે મોસમે , એકલડાં પાણી;
વાણી ને પાણી , અણથંભ્યો મેઘાણી.

ગિરિ અર્બુદને આંગણે,ચંદ તણી વાણી;
ગરજાવ્યો ગિરનારને , ગરવો મેઘાણી.

ઓસરતાં'તાં ઓટમાં,વીર તણાં પાણી;
ભરતી આણી ઓટમાં, ચાંદા - મેઘાણી.

રતન રઝળતાં રેણુમાં,થાતાં ધૂળધાણી;
રજ છાંટી પ્રકશાવિયા, ઝવેરી મેઘાણી.

વજ્જર દિલનો વાણિયો,વજ્જરશી વાણી;
સૂના સમદર પાળ પર,રોયો મેઘાણી.

કાલ પટાન્તર ભેદીને , અમર કથા આણી;
અમર તરુવર ડાળીએ ,મ્હોર્યો મેઘાણી.

(સન ૧૯૪૭ )

No comments:

Post a Comment