Friday, January 2, 2015

રોજ રાત પડે ને.........@અરવિંદ બારોટ.

રોજ રાત પડે ને.........@અરવિંદ બારોટ.
----------------

રોજ રાત પડે ને
સંબંધોના ખંડેરમાં ભૂતાવળ જાગે....
સૂનકાર ખળભળી ઊઠે....

કોઈ આવીને અરધી ઊભેલી ભીંત પર
રાધા-કૃષ્ણની છબી ટીંગાડી ગયું.......

હવે નિરંતર વાંસળીના સૂર પડઘાય છે....
ખંડેરના કાટમાળમાંથી
ગોકુળ બેઠું થાય છે....

રોજ રાત પડે ને......

No comments:

Post a Comment