Saturday, January 7, 2012

વિચાર-વલોણું @અરવિંદ બારોટ.


વિચાર-વલોણું @અરવિંદ બારોટ.
********************
એવું સાંભળ્યું છે કે દરિયો કંઈ જ સંઘરતો નથી.બધું જ કિનારે ધકેલી દે છે.પણ જે વસ્તુ દરિયાના તળિયે પડેલી હોય એને એ કાળાંતરે પણ બહાર નથી ધકેલતો.સંઘરી રાખે છે.પરંતુ...અચાનક મહાભૂકંપ થાય તો તળિયામાં દટાયેલું બધું જ બહાર આવે છે....એમાં મોતી પણ હોય,અને વિષ પણ હોય.દુનિયા મોતી પડતાં મૂકીને વિષને ગ્રહણ કરે તો એમાં દરિયાનો શું દોષ ?દરિયો માઝા મૂકે જ નહિ,પણ ભૂકંપ સામે દરિયો શું કરે ?એવું જ માનવસમાજ માં બને છે.સાગરપેટા માનવીઓ કેટલીક બાબતોને હૈયાના પાતાળમાં ધરબી દે છે,કદી બહાર ન આવે.પણ...કોઈ ભૂકંપ જેવી ઘટના બને ત્યારે સમજણનો, મર્યાદાનો બંધ તૂટી પડે છે. અને બધું બહાર આવે છે.એમાં પણ મોતીની સાથોસાથ વિષ પણ હોય છે...દરિયાને દોષ દીધા વિના મોતી જ વીણવા માં આવે તો કોઈ સમસ્યા રહેતી નથી

No comments:

Post a Comment