Saturday, January 7, 2012

જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
આંખમાં નંબર હોય તો ચશ્માં પહેરવાથી સારું અને ચોખ્ખું દેખાય છે.પણ કેટલાક અલગ પ્રકારના ચશ્માં તો એવા હોય છે કે જેણે એ પહેર્યા હોય એને ખોટું હોય તે સાચું દેખાય છે,બિહામણું હોય તે સુંદર દેખાય છે.એ ચશ્માં છે-અહમ,સ્વાર્થ,લોભ,મોહ, લાલચ,શંકા,વહેમ,માની લીધેલો પ્રેમ અને ઘેલછાના....આવા ચશ્માં પહેર્યા પછી એને જે દેખાય છે તેને જ એ સાચું માને છે.વાસ્તવમાં એ ભ્રમ હોય છે.એને સમજાવો તો કહેશે,"એમાં શું વાંધો છે ?".."એમાં શું ખોટું છે ?"તમે સંકુચિત છો" "તમે હજી ૧૯મી સદીમાં જીવો છો"..........અરે ,એને ખબર નથી કે જે રસ્તે એને બગીચો દેખાય છે એ ભયાનક જંગલ છે.એમાં હિંસક જનાવરો અને ઝેરી જંતુઓ છે.એને જે ઉન્નતિનું શિખર લાગે છે એ પતનની ઊંડી ખીણ છે....પણ એ કોઈનું ન માને.એની મરજી પ્રમાણે જ વર્તે.એને જવું હોય ત્યાં જ જાય.અને પરિણામે...ભરપાઈ ન થઇ શકે એવું નુકસાન અને પારાવાર પસ્તાવો...આંસુ અને એકલતા..!પણ એ ન માને...એટલે જ કહું છું કે "કોઈ કોઈને સમજાવી શકતું નથી..કોઈ કોઈને રોકી શકતું નથી."

No comments:

Post a Comment