અરસ-પરસની અષ્ટપદી @અરવિંદ બારોટ.
***************************
૧.તમે ઈચ્છો એમ થાય જ એવી આશા સ્વજન પાસે પણ ન રાખો.
૨.તમારી ઈચ્છાની પરવા તમારા સિવાય કોઈને નથી હોતી-એ હકીકત સ્વીકારો.
૩.'લાગણી'ના સંબંધને કોઈ નામ ન આપો,તો સમસ્યા ઊભી નહિ થાય.
૪.'લાગણી'ના સંબંધને સામી વ્યક્તિ બુદ્ધિના ત્રાજવે જ તોળતી હોય,
ત્યારે તમે માત્ર લાગણીમાં અટવાયા ન કરો.
૫.'સ્નેહ'અને 'સ્વાર્થ' માં સ્નેહનું વજન ઘટતું દેખાય-
એવા સંબંધમાંથી ચૂપ-ચાપ ખસી જાવ.
૬.અનુકૂળતા અને ગણતરીના આધારે ટકેલો સગવડીયો સંબંધ તકલાદી હોય છે.
સમય આપી શકે એને જ સંબંધ કહેવાય.બાકી બધી વાતો.
૭."મારી કોઈને પડી નથી"-એવી કાગારોળ ન કરો.આ દુનિયામાં કોઈને કોઈની પડી નથી હોતી.
તમે કેટલા ઉપયોગી છો એ જ જોવાય છે.
૮.લાગણીના આવેગમાં મનની સ્વસ્થતા ન ગુમાવો.શાંત રહો
***************************
૧.તમે ઈચ્છો એમ થાય જ એવી આશા સ્વજન પાસે પણ ન રાખો.
૨.તમારી ઈચ્છાની પરવા તમારા સિવાય કોઈને નથી હોતી-એ હકીકત સ્વીકારો.
૩.'લાગણી'ના સંબંધને કોઈ નામ ન આપો,તો સમસ્યા ઊભી નહિ થાય.
૪.'લાગણી'ના સંબંધને સામી વ્યક્તિ બુદ્ધિના ત્રાજવે જ તોળતી હોય,
ત્યારે તમે માત્ર લાગણીમાં અટવાયા ન કરો.
૫.'સ્નેહ'અને 'સ્વાર્થ' માં સ્નેહનું વજન ઘટતું દેખાય-
એવા સંબંધમાંથી ચૂપ-ચાપ ખસી જાવ.
૬.અનુકૂળતા અને ગણતરીના આધારે ટકેલો સગવડીયો સંબંધ તકલાદી હોય છે.
સમય આપી શકે એને જ સંબંધ કહેવાય.બાકી બધી વાતો.
૭."મારી કોઈને પડી નથી"-એવી કાગારોળ ન કરો.આ દુનિયામાં કોઈને કોઈની પડી નથી હોતી.
તમે કેટલા ઉપયોગી છો એ જ જોવાય છે.
૮.લાગણીના આવેગમાં મનની સ્વસ્થતા ન ગુમાવો.શાંત રહો
No comments:
Post a Comment