Saturday, January 7, 2012

જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
*************************
પતિ-પત્ની કે પ્રેમીજનોમાં વાંધો પડે ત્યારે સામા પાત્રને 'બાળવા'(ઈર્ષા કરાવવા કે દેખાડી દેવા )ના જનૂનમાં એક પાત્ર વટ માં ને વટમાં એટલી હલકી કક્ષાએ ઊતરી જાય છે કે એને ભાન પણ નથી રહેતું કે એ જે કરે છે એનાથી પરસ્પર અને પોતાની જાતને કેટલું નુકસાન કરે છે.વહાલ હતું ત્યાં વટ ક્યાંથી આવ્યો ? ક્યાં ગયો પ્રેમ ?ક્યાં ગઈ આત્મીયતા ?ક્યાં ગઈ સમજણ ?ક્યાં ગયા જીવનભર સાથ નિભાવવાના વચનો ?બધું સળગી ગયું ?જનૂન શાંત થયા પછી જયારે મળશો ત્યારે એક-બીજાને મોં શું બતાવશો ?ઝગડો થયો હોય,અબોલા હોય,ગેરસમજ થઇ હોય કે કાયમ માટે છૂટા પડવાની નોબત આવે,તો પણ પ્રેમનું ગૌરવ ખંડિત ન થવું જોઈએ .જે મોઢે પાન ખાધાં એ મોઢે કોલસા કેમ ખવાય ? પ્રેમ કંઈ ફટાકડાની ફૂલઝર નથી કે થોડી વારમાં રાખ થઇ જાય,પ્રેમ તો છે રાધાના હાથમાં શોભતું કમળ...સદાય મઘમઘતુ .એ ફૂલને જતન કરીને જાળવશો તો જીવન બાગ બાગ થઇ જશે !

No comments:

Post a Comment