વિચાર-વલોણું @અરવિંદ બારોટ.
*********************
ખુશખુશાલ દેખાતા માણસના હસતા ચહેરા પર ક્યારેય વેદના,પીડા કે ઉદાસીની રેખા જોઈ છે ?કોશિશ કરજો,માણસને વાંચજો.જરૂર કંઈક દેખાશે.દરેક માણસ એક ઝંખના લઈને જીવતો હોય છે.કોઈને સંપતિ,કોઈને સત્તા,કોઈને પ્રસિદ્ધિ તો કોઈને પ્રેમની શોધ હોય છે.કોઈને બધું જ જોઈએ છે ..સ્થૂળ અને ભૌતિક સિદ્ધિ તો પુરુષાર્થથી મળી શકે,પણ કોઈનો પ્રેમ તો માત્ર નસીબથી જ મળે.નસીબ દરેકને સાથ નથી આપતું. બધું જ મેળવ્યા પછી પણ એક ખાલીપો ખટકે છે. હતાશા અને એકલતાથી ઘેરાયેલો માણસ થાકીને પરાજય સ્વીકારી લે છે.જિંદગી સાથે સમાધાન કરી લે છે.પરિણામે એની સામે બે જ રસ્તા રહે છે-સંસાર અસાર છે એવા ભાવની અસરમાં એ સંસારમાં રહીને પણ સાવ વિરક્ત અને નિર્લેપ થઇ જાય છે,અથવા પરમાત્માની આ સુંદર સૃષ્ટિને,જીવન ની પળે પળને મન ભરીને માણી લેવાની સમજણ કેળવીને હસતા ચહેરાનો મુખવટો પહેરીને પોતાનું પાત્ર ભજવ્યા કરે છે.
*********************
ખુશખુશાલ દેખાતા માણસના હસતા ચહેરા પર ક્યારેય વેદના,પીડા કે ઉદાસીની રેખા જોઈ છે ?કોશિશ કરજો,માણસને વાંચજો.જરૂર કંઈક દેખાશે.દરેક માણસ એક ઝંખના લઈને જીવતો હોય છે.કોઈને સંપતિ,કોઈને સત્તા,કોઈને પ્રસિદ્ધિ તો કોઈને પ્રેમની શોધ હોય છે.કોઈને બધું જ જોઈએ છે ..સ્થૂળ અને ભૌતિક સિદ્ધિ તો પુરુષાર્થથી મળી શકે,પણ કોઈનો પ્રેમ તો માત્ર નસીબથી જ મળે.નસીબ દરેકને સાથ નથી આપતું. બધું જ મેળવ્યા પછી પણ એક ખાલીપો ખટકે છે. હતાશા અને એકલતાથી ઘેરાયેલો માણસ થાકીને પરાજય સ્વીકારી લે છે.જિંદગી સાથે સમાધાન કરી લે છે.પરિણામે એની સામે બે જ રસ્તા રહે છે-સંસાર અસાર છે એવા ભાવની અસરમાં એ સંસારમાં રહીને પણ સાવ વિરક્ત અને નિર્લેપ થઇ જાય છે,અથવા પરમાત્માની આ સુંદર સૃષ્ટિને,જીવન ની પળે પળને મન ભરીને માણી લેવાની સમજણ કેળવીને હસતા ચહેરાનો મુખવટો પહેરીને પોતાનું પાત્ર ભજવ્યા કરે છે.
No comments:
Post a Comment