તમે સાચા હો એ પૂરતું નથી,તમે સાચા છો એવું લાગવું જોઈએ.સત્યના પુરાવા ના હોય,પણ વિચાર,વાણી અને વર્તનથી એ આપોઆપ વ્યક્ત થાય છે..તમારું વર્તન શંકાસ્પદ હોય અને તમે સાચા હોવાનો ઢોલ વગાડો એનો કોઈ અર્થ નથી.વિશ્વાસ ગુમાવી દીધા પછી તમારા સત્યની છબી પણ ઝાંખી થઇ જાય છે.એટલે જીવન પારદર્શક હોવું જરૂરી છે.જીવનને અલગ અલગ ખાનામાં વહેંચીને જીવવાથી પણ ભેદ-ભરમ ઊભા થાય છે.આ મારો વ્યવસાય,આ મારો પરિવાર,આ મારા સંબંધો,આ મારા મિત્રો-એવા અભેદ કિલ્લા ઊભા કરવાથી વ્યક્તિ વેર-વિખેર થઇ જાય છે.ક્યાય પોતાપણું રહેતું નથી.રહસ્યમય વ્યક્તિના આખરી પડાવમાં હોય છે માત્ર એકલતા.... (અરવિંદ બારોટ)
No comments:
Post a Comment