જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
કોઈ પણ સંબંધ એવો નથી કે જેમાં ફરિયાદ કે અપેક્ષા ન હોય.પછી એ લોહીના સંબંધ હોય,લગ્ન-સંબંધ હોય,પ્રેમ-લાગણીના,મિત્રતા કે સામાજિક સંબંધ હોય.આ અપેક્ષા જ દુખ નું મૂળ છે.પણ વાસ્તવિક્તા એ છે કે અપેક્ષા વિનાના સંબંધ ની વાત જ દંભ છે.પ્રેમમાં તો ત્યાગ હોય,લેવાનું નહિ ,દેવાનું જ હોય-એ બધું કહેવા-સાંભળવામાં સારું લાગે,વાસ્તવિક જીવનમાં એ ભ્રમણા સાબિત થાય.પ્રત્યેક જીવને નિર્વ્યાજ પ્રેમ કરવો એ તો પ્રેમનું કરુણામાં રૂપાંતર છે.અને કરુણા તો સંતત્વની સ્થિતિ છે.આપણે સંત નથી,આપણે તો સપનાની હવેલી ઝંખતા સંસારી જીવડા !સંબંધ એટલે જ સમ+બંધ=એક સરખા બંધનથી એક-બીજા સાથે જોડાયેલા.બાળકને પણ વહાલ જોઈએ,માં-બાપ ને પ્રેમ-આદર જોઈએ,પતિ/પત્નીને સ્નેહ જોઈએ.મિત્રને સહકાર કે કદર જોઈએ.અને એ અપેક્ષા વ્યાજબી છે.અપેક્ષાથી પર થઈને સંબંધ નિભાવવો એ ફક્ત કલ્પના છે.સ્થૂળ અપેક્ષાની અહીં વાત નથી.માણસને પોતાનો સ્વીકાર જોઈએ.
**************************
કોઈ પણ સંબંધ એવો નથી કે જેમાં ફરિયાદ કે અપેક્ષા ન હોય.પછી એ લોહીના સંબંધ હોય,લગ્ન-સંબંધ હોય,પ્રેમ-લાગણીના,મિત્રતા કે સામાજિક સંબંધ હોય.આ અપેક્ષા જ દુખ નું મૂળ છે.પણ વાસ્તવિક્તા એ છે કે અપેક્ષા વિનાના સંબંધ ની વાત જ દંભ છે.પ્રેમમાં તો ત્યાગ હોય,લેવાનું નહિ ,દેવાનું જ હોય-એ બધું કહેવા-સાંભળવામાં સારું લાગે,વાસ્તવિક જીવનમાં એ ભ્રમણા સાબિત થાય.પ્રત્યેક જીવને નિર્વ્યાજ પ્રેમ કરવો એ તો પ્રેમનું કરુણામાં રૂપાંતર છે.અને કરુણા તો સંતત્વની સ્થિતિ છે.આપણે સંત નથી,આપણે તો સપનાની હવેલી ઝંખતા સંસારી જીવડા !સંબંધ એટલે જ સમ+બંધ=એક સરખા બંધનથી એક-બીજા સાથે જોડાયેલા.બાળકને પણ વહાલ જોઈએ,માં-બાપ ને પ્રેમ-આદર જોઈએ,પતિ/પત્નીને સ્નેહ જોઈએ.મિત્રને સહકાર કે કદર જોઈએ.અને એ અપેક્ષા વ્યાજબી છે.અપેક્ષાથી પર થઈને સંબંધ નિભાવવો એ ફક્ત કલ્પના છે.સ્થૂળ અપેક્ષાની અહીં વાત નથી.માણસને પોતાનો સ્વીકાર જોઈએ.
No comments:
Post a Comment