જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ યુગોથી ચાલ્યો આવે છે.વિશ્વાસ અને છેતરપિંડી એના હથિયારો છે.રાવણે સાધુ-વેશે છેતરપિંડી કરી,ને સીતાજીએ સાધુત્વમાં વિશ્વાસ મૂકીને લક્ષ્મણ-રેખા ઓળંગી.શકુની શતરંજ ના પાસાંમાં કપટ કરતો હતો એનાથી યુધિષ્ઠીર સાવ અજાણ હોય એવું ના બને.પણ સજ્જનોમાં એવું કોઈ પરિબળ કામ કરે છે,જે એને જાણી-જોઈને છેતરાવા માટે પ્રેરે છે.જૂઠા,કપટી અને દગાબાજ લોકો સામી વ્યક્તિને મુર્ખ અને નિર્બળ માનીને પોતાની પ્રપંચ-લીલાની માયાજાળ ફેલાવે છે.બનાવટી વાતો અને બહાનાબાજીથી સજ્જન વ્યક્તિના વિશ્વાસ સાથે રમત કરે છે,પણ એને ખબર નથી,કે લંકા રોળાઈ ગઈ,કૌરવોનો નાશ થયો એમ વિશ્વાસઘાતનું પાપ ઉધઈની જેમ એને કોરી ખાશે.કર્મનો ચોપડો કોઈની શરમ નથી રાખતો.
**************************
સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ યુગોથી ચાલ્યો આવે છે.વિશ્વાસ અને છેતરપિંડી એના હથિયારો છે.રાવણે સાધુ-વેશે છેતરપિંડી કરી,ને સીતાજીએ સાધુત્વમાં વિશ્વાસ મૂકીને લક્ષ્મણ-રેખા ઓળંગી.શકુની શતરંજ ના પાસાંમાં કપટ કરતો હતો એનાથી યુધિષ્ઠીર સાવ અજાણ હોય એવું ના બને.પણ સજ્જનોમાં એવું કોઈ પરિબળ કામ કરે છે,જે એને જાણી-જોઈને છેતરાવા માટે પ્રેરે છે.જૂઠા,કપટી અને દગાબાજ લોકો સામી વ્યક્તિને મુર્ખ અને નિર્બળ માનીને પોતાની પ્રપંચ-લીલાની માયાજાળ ફેલાવે છે.બનાવટી વાતો અને બહાનાબાજીથી સજ્જન વ્યક્તિના વિશ્વાસ સાથે રમત કરે છે,પણ એને ખબર નથી,કે લંકા રોળાઈ ગઈ,કૌરવોનો નાશ થયો એમ વિશ્વાસઘાતનું પાપ ઉધઈની જેમ એને કોરી ખાશે.કર્મનો ચોપડો કોઈની શરમ નથી રાખતો.
No comments:
Post a Comment