Saturday, January 7, 2012

મોરારીબાપુની વિડીઓ -ક્લિપ પર અનધિકૃત આલોચના અંગે એક નમ્ર નિવેદન.


મોરારીબાપુની વિડીઓ -ક્લિપ પર અનધિકૃત આલોચના અંગે એક નમ્ર નિવેદન.
***************************************************
-દરેકને પોતાના વિચાર-માન્યતા કે મત વ્યક્ત કરવાનો અધિકાર છે એ વાતનો બહુ આદરપૂર્વક સ્વીકાર કરું છું.
-જે વ્યક્તિ ઉગ્ર પ્રતિભાવ નહિ આપે એવી ખબર હોય એની જ ટીકા કરવાની સમાજ ની માનસિકતા પણ સ્વીકારું છું.(બકરી કે પાડાને એક ઝાટકે વાઢી નાખતા શૂરવીરો સિંહ કે વાઘ જેવા હિંસક પ્રાણીનો ચાળો નથી કરતા,કરે છે તો પણ બંદૂકથી.)
-જે વ્યક્તિ કે વિષયની આપણી જાણકારી ન હોય એની નિંદા કરવા કૂદી પડતા લોકો પાતાને પ્રગતિશીલ,વિચારવંત, સુધારાવાદી અને બુદ્ધિવાન માનતા હોય છે. એનો પણ આપણને શું વાંધો ?પણ ,અંગત રીતે સમાજ માટે શું કરી શકે છે એનો તો એમને ખ્યાલ હોય જ,તો જ બીજાની ભૂલો શોધી શકે ને !ધર્મ વિષે ,ઈશ્વર વિષે,દેવી-દેવતા વિષે,ગાંધીજી વિષે કે મોરારીબાપુ વિષે અધકચરી માહિતીના આધારે બેફામ બકવાસને જો વાણી-સ્વાતંત્ર્ય કહેવાતું હોય તો સામાજિક સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય.
@ડાકલા વિષે બહુ નમ્રતાપૂર્વક વાત કરું, તો ડાક્લું એ સૃષ્ટિનું આદિ વાદ્ય છે.શિવજીએ પ્રગટ કર્યું અને વગાડ્યું.શિવ અને શક્તિ અભિન્ન છે,એટલે ડાક્લું વગાડવાથી શક્તિ રાજી થાય છે.ડાક્લાને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.
@ભારતીય સંસ્કૃતિના પાયામાં ચાર વેદ ઋગ્વેદ,સામવેદ,યજુર્વેદ અને અથર્વવેદ.એમાં સામવેદ એ સંગીતનો વેદ છે.
સામવેદની ઋચાઓ જે સ્વરમાં ગવાતી એ જ સ્વરો હજારો વર્ષ પછી પણ માતાજીની વેરાડીમાં એ જ સ્વરૂપે જળવાયા છે.જે ડાકલા સાથે ગવાય છે. એને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.
@મેલડીમાં વિષે કેટલાક મિત્રોને ખબર જ નથી કે મેલડીમાં એ કોઈ ભૂત-પ્રેત નથી કે એને કાઢવા માટે હનુમાન ચાલીસા બોલવા પડે.આદિ શક્તિના ૩ સ્વરૂપ-મહાલક્ષ્મી,મહાસરસ્વતી અને મહાકાલી.અસૂરોને મારવા ખાસ પ્રયોજનથી મહાકાળીએ જે સ્વરૂપ લીધું એ મેલડી ના નામથી પૂજાય છે.મેલડીમાંને અંધશ્રદ્ધા સાથે જોડનારા ને આ ખબર નથી હોતી.
@મોરારીબાપુ વિશ્વવંદનીય સંત એટલા માટે છે કે એ એક સર્વોત્તમ શિક્ષક છે.બાલમંદિરના બાળકને પણ ભણાવી શકે અને university માં પણ ભણાવી શકે.એ એક એવા ડોક્ટર છે જે દરેકને એની તાસીર પ્રમાણે દવા આપે છે,એક નિષ્કલંક,નિર્વિવાદ અને નિષ્પક્ષ સાધુ એવા મોરારીબાપુ સતત પોતાને UPDATE કરતા રહે છે.ક્યારેય બંધિયાર નથી બનતા એટલે પૂર્વગ્રહથી પર રહે છે.સતત જાગૃત હોય છે.
@મોરારીબાપુ,મેલડીમાં,ડાકલા અને હનુમાન ચાલીસા વિષે પૂરી જાણકારી વિના બેફામ નિવેદનો કરનાર મિત્રો ને નમ્ર અપીલ કે સજ્જતા અને પાત્રતા વિના આવા સંવેદનશીલ વિષયો માં કૂદી પડતા પહેલા થોડી સ્વસ્થતા થી વિચારવું ..
શ્રધ્ધાના પ્રદેશને સમજવા પ્રયત્ન કરવો.વાચાળતા થી વૈચારિક ક્રાંતિ નથી થતી.
@જેણે ગોળ ચાખ્યો જ નથી એ ગળપણની ચર્ચા કરે એ વાત થોડી...અઘરી લાગે ! !
@વાણી-સ્વાતંત્ર્ય ના અધિકાર સબબ મારા વિચારો મેં વ્યક્ત કર્યા.... ! ! !

1 comment:

  1. ગોળ ચાખ્યો જ નથી એ ગળપણની ચર્ચા કરે ...
    me ej kidhu ke moraribapu ne ek vaar roobroo malo to khabar pade...

    ReplyDelete