જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
સ્ત્રી બધું જ કરી શકે છે,
પણ પોતાની મરજી વિરુદ્ધ પ્રેમ નથી કરી શકતી..
સંજોગોને આધીન એ પ્રેમ દર્શાવશે,પણ મનના સાતમા તળિયે રહેલો 'ખાલીપો' અકબંધ રહેશે.
ઈચ્છા-વિરુદ્ધના લગ્ન થયા હોય તો એ સતત સહવાસને કારણે પોતાના પતિમાં ઓતપ્રોત થઇ જશે,પતિ ઉપર હેત વરસાવશે.વફાદારીપૂર્વક સુખી દામ્પત્યજીવન માણશે.જીવન સામે કોઈ ફરિયાદ નહિ કરે..તો પણ......ક્યારેક...હા,..ક્યારેક એના મનના સાતમા તળિયે ધરબાયેલો 'ખાલીપો' એક ઝીણી ચીસ પાડશે...અને એની આંખમાં માત્ર એક ક્ષણ માટે ઘેરી ઉદાસીનો પડછાયો પડશે.પણ તરત જ હસતી હસતી કામે વળગશે.ઈશ્વરને પણ ખબર ન પડે એ રીતે વલવલતી વેદનાની આગને પોતાના હૈયામાં સ્ત્રી જ સમાવી શકે.કારણ કે સ્ત્રી બધું જ કરી શકે છે,પણ....
**************************
સ્ત્રી બધું જ કરી શકે છે,
પણ પોતાની મરજી વિરુદ્ધ પ્રેમ નથી કરી શકતી..
સંજોગોને આધીન એ પ્રેમ દર્શાવશે,પણ મનના સાતમા તળિયે રહેલો 'ખાલીપો' અકબંધ રહેશે.
ઈચ્છા-વિરુદ્ધના લગ્ન થયા હોય તો એ સતત સહવાસને કારણે પોતાના પતિમાં ઓતપ્રોત થઇ જશે,પતિ ઉપર હેત વરસાવશે.વફાદારીપૂર્વક સુખી દામ્પત્યજીવન માણશે.જીવન સામે કોઈ ફરિયાદ નહિ કરે..તો પણ......ક્યારેક...હા,..ક્યારેક એના મનના સાતમા તળિયે ધરબાયેલો 'ખાલીપો' એક ઝીણી ચીસ પાડશે...અને એની આંખમાં માત્ર એક ક્ષણ માટે ઘેરી ઉદાસીનો પડછાયો પડશે.પણ તરત જ હસતી હસતી કામે વળગશે.ઈશ્વરને પણ ખબર ન પડે એ રીતે વલવલતી વેદનાની આગને પોતાના હૈયામાં સ્ત્રી જ સમાવી શકે.કારણ કે સ્ત્રી બધું જ કરી શકે છે,પણ....
No comments:
Post a Comment