જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
"એમાં શું વાંધો છે ?
"એમાં શું ખોટું છે ?"
"આ તો બહુ સામાન્ય વાત છે !"
"આજના સમયમાં આવું તો હોય જ !"
"આવું તો બધા જ કરે છે"
"તમને વાત વાતમાં કેમ વાંધો પડે છે ?"
"તમે શંકાશીલ છો !"
"તમે સંકુચિત છો!"
ખોટા રસ્તે જતી દરેક વ્યક્તિના આ જ જવાબ હોય છે.રોકનાર વ્યક્તિ અનુભવી અને દીર્ઘદૃષ્ટા હોય છે.એને ખબર હોય છે કે સાદા પાનનો અમર્યાદ શોખ તમાકુ અને સિગારેટ સુધી લઇ જાય.બીયરનો એક ઘૂંટડો દારૂડિયો બનાવી શકે છે..ફેશનના નામે અશ્લીલતાની વરવી દુનિયાના દરવાજા ખુલી શકે છે.વિજાતીય પાત્રો સાથેની "અમર્યાદ" મૈત્રી જીવનને ખેદાન-મેદાન કરી દે છે. પ્રસિદ્ધિ અને પૈસાના મોહમાં જીવન બરબાદ થઇ શકે છે.ખોટી સોબતના કારણે જિંદગી નર્ક બની શકે છે.ખોટું બોલવાની આદતથી સ્વજનોનો વિશ્વાસ ગુમાવવો પડે છે.જીવતરની સીડીનું એક પગથિયું ચૂકી જવાથી પતન નિશ્ચિત હોય છે.રોકનાર વ્યક્તિને જૂનવાણી કે સંકૂચિત ગણવાની ભૂલ ન કરવી.કારણ કે એની પાસે અભ્યાસ અને અનુભવની મૂડી ઉપરાંત આધુનિક પ્રવાહની પૂરી જાણકારી અને સમજ પણ હોય છે. પણ....કોઈનું ન માનનાર જયારે ઠોકર ખાય છે ત્યારે એને સંભાળનારુ કોઈ નથી હોતું...ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. વાસ્તવિકતા એ છે કે કોઈ કોઈને સમજાવી શકતું નથી,કોઈ કોઈને રોકી શકતું નથી.
**************************
"એમાં શું વાંધો છે ?
"એમાં શું ખોટું છે ?"
"આ તો બહુ સામાન્ય વાત છે !"
"આજના સમયમાં આવું તો હોય જ !"
"આવું તો બધા જ કરે છે"
"તમને વાત વાતમાં કેમ વાંધો પડે છે ?"
"તમે શંકાશીલ છો !"
"તમે સંકુચિત છો!"
ખોટા રસ્તે જતી દરેક વ્યક્તિના આ જ જવાબ હોય છે.રોકનાર વ્યક્તિ અનુભવી અને દીર્ઘદૃષ્ટા હોય છે.એને ખબર હોય છે કે સાદા પાનનો અમર્યાદ શોખ તમાકુ અને સિગારેટ સુધી લઇ જાય.બીયરનો એક ઘૂંટડો દારૂડિયો બનાવી શકે છે..ફેશનના નામે અશ્લીલતાની વરવી દુનિયાના દરવાજા ખુલી શકે છે.વિજાતીય પાત્રો સાથેની "અમર્યાદ" મૈત્રી જીવનને ખેદાન-મેદાન કરી દે છે. પ્રસિદ્ધિ અને પૈસાના મોહમાં જીવન બરબાદ થઇ શકે છે.ખોટી સોબતના કારણે જિંદગી નર્ક બની શકે છે.ખોટું બોલવાની આદતથી સ્વજનોનો વિશ્વાસ ગુમાવવો પડે છે.જીવતરની સીડીનું એક પગથિયું ચૂકી જવાથી પતન નિશ્ચિત હોય છે.રોકનાર વ્યક્તિને જૂનવાણી કે સંકૂચિત ગણવાની ભૂલ ન કરવી.કારણ કે એની પાસે અભ્યાસ અને અનુભવની મૂડી ઉપરાંત આધુનિક પ્રવાહની પૂરી જાણકારી અને સમજ પણ હોય છે. પણ....કોઈનું ન માનનાર જયારે ઠોકર ખાય છે ત્યારે એને સંભાળનારુ કોઈ નથી હોતું...ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. વાસ્તવિકતા એ છે કે કોઈ કોઈને સમજાવી શકતું નથી,કોઈ કોઈને રોકી શકતું નથી.
No comments:
Post a Comment