સ્થૂળ વસ્તુ કે સંબંધનો આનંદ અલ્પજીવી નીવડે છે.કોઈ પણ દુન્યવી આનંદનું એક સંતૃપ્તિ બિંદુ (saturation point)હોય છે.સંતો જે અખંડ આનંદ-નિરંતર આનંદ-પરમ આનંદની વાત કરે છે એ શું છે ?એ કેવી રીતે મળે ?ઘઉં,ચોખા અને તેલના ભાવમાં,ઘરસંસારની પળોજણમાં અટવાયેલો સરેરાશ માણસ વેદ,ઉપનિષદ,યોગ અને સત્સંગ માં શું અને કેટલું સમજે ?પણ,શાસ્ત્રોની અઘરી વાતોને,અભણ પણ સમજી શકે એવી સરળ વાણીમાં સમજાવી છે એક અભણ સંત-કવિયત્રી ગંગાસતીએ.સમતા રાખીએ તો શાંતિ અને સરવાળે અખંડ આનંદ મળે.ગંગાસતી કહે છે-"હરખ ને શોખની જેને આવે નહિ હેડકી પાનબાઈ,આઠે પહોર આનંદ જી....
No comments:
Post a Comment