Saturday, January 7, 2012

જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.



November 29, 2011
જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
**************************
મોબાઈલ એક ચમત્કારી શોધ છે.સતત સંપર્ક અને માહિતી માટે ઉત્તમ સવલત છે.આ સવલતને બાદ કરતાં એ એક મોટું દૂષણ છે.સમાજને લાગેલું ગ્રહણ છે.મોબાઇલને કારણે અસત્ય,દંભ,કપટ અને ગુનાહિત પ્રવૃતિને મોકળું મેદાન મળ્યું છે.ખાસ કરીને "વિશ્વાસ'નામના પવિત્ર પ્રદેશ પર આક્રમણ થયું છે.આત્મીય અને શ્રદ્ધાના સંબંધો વેર-વિખેર થઇ ગયા છે."ક્યાં છો ?"એમ પૂછીએ એટલે કહેશે કે "ફલાણા ભાઈના ઘેર છું "હકીકતમાં હોય હોટલમાં !લીંબડીમાં હોય ને કહેશે કે "મોરબીમાં છું".દારૂ પીતો હોય ને કહેશે કે "સત્યનારાયણનો પ્રસાદ ખાઉં છું".કોઈનું સાચું સરનામું મળતું નથી.ઘણું બધું છુપાવી શકવાની આ સગવડ થી અયોગ્ય સંબંધોને વેગ મળે છે.સમાજ,પરિવાર અને લાગણીના સંબંધોમાં મોટી ઉથલ-પાથલ થાય છે.પારદર્શકતા ખતમ થઇ ગઈ છે.પરદા વધી ગયા એટલે પ્રેમ ઝાંખો થયો છે.શંકા,ખુલાસા,દલીલો અને અજંપામાં પ્રેમ અટવાઈ ગયો.કેટલાંય જીવન બરબાદ થયા,અને કેટલાંય થશે.વૈજ્ઞાનિક આવિષ્કારનો યોગ્ય ઉપયોગ થાય તો એ આશીર્વાદ છે.પણ અયોગ્ય ઉપયોગથી જીવન ના મુલ્યોનો સર્વનાશ થાય.એ રીતે મોબાઈલ એક અભિશાપ છે,કારણ કે એ 'વિશ્વાસ'ની હત્યા કરે છે.

No comments:

Post a Comment