Saturday, January 7, 2012

જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.


જીવતરના લેખાં-જોખાં @અરવિંદ બારોટ.
**************************
સ્વાદ વગરનું ભોજન નકામું.સ્વાદ વગરનું જીવન નકામું.સ્વાદ ૬ પ્રકારના-ખાટો,ખારો,તીખો,તૂરો,કડવો અને ગળ્યો.ભોજન અને જીવનમાં આ બધા સ્વાદ એના પ્રમાણમાં જરૂરી છે.ગળ્યો તો સ્વાદનો રાજા છે.ભોજનમાં મીઠાઇ અને જીવનમાં મીઠાશ નું અનેરું મહત્વ છે.મીઠાઇ અને મીઠી વાણી સૌને ગમે છે.પણ એના અતિરેકથી મધુપ્રમેહ થાય.કેટલાક માણસોની મીઠી વાણીસેકરીન જેવી કૃત્રિમ હોય છે.એવા મીઠા-બોલા માણસો ભરોસાપાત્ર નથી હોતા.કેટલાંક માણસો પેંડા જેવા હોય છે,દરેક સારા-મંગળ પ્રસંગોમાં એમની હાજરી હોય જ.કોઈ કોઈ તો વળી જલેબી જેવા હોય છે,ક્યાંથી શરુ થાય ને ક્યાં પૂરું થાય એની ખબર જ ન પડે.જલેબીનો સાંધો જ ન મળે.કેટલાક લાફ્સી જેવા હળવા-ફૂલ હોય છે,તો કોઈ શીરા જેવા ઢીલા.કેટલાક દૂધપાક જેવા.(મીઠું જ ન હોય)તો કોઈ ખીર જેવા શીતળ.કોઈ કોઈ મોહનથાળ જેવા-એની મીઠાશ ટકાઉ હોય છે.પણ બધી મીઠાઈમાં સૌથી ઉત્તમ "લાડુ" ! લાડવા જેવા માણસો બધે શોભે.સાત્વિક,સ્વાદિષ્ટ અને સર્વને પ્રિય એવા લાડુ ભાણામાં હોય તો આખી પંગત રૂડી લાગે,એમ લાડુ જેવા માણસોની હાજરીથી બધું જ સરસ લાગે.

No comments:

Post a Comment