જીવતરના લેખાં-જોખાં@અરવિંદ બારોટ.
*************************
માનવી માત્ર હવા,પાણી અને ખોરાકથી જ નથી જીવી શકતો.ભૌતિક ઉપલબ્ધિઓથી પણ એને જીવનની પૂર્ણતાનો અનુભવ નથી થતો.જીવનની સાર્થકતાનો સંતોષ તો માનવીય સંબંધોની હૂંફથી જ પ્રાપ્ત થાયછે.દરેક માણસ આવી હૂંફ ઝંખે છે.કરોડો-અબજો માનવીઓથી ઊભરાતા આ વિશ્વ માં એને કોઈ 'પોતાનું માણસ' જોઈએ. એને માં અને બાળક જેવો પરાધિનતામૂલક સંબંધ જોઈએ, લાગણીના તાંતણાનું બંધન જોઈએ.પણ..માનવીનું લાગણીતંત્ર બહુ સંકૂલ હોય છે.આવા સંબંધમાં પણ એ ઠરી-ઠામ નથી થતો.સંબંધનું પ્રાણતત્વ છે 'વિશ્વાસ'.સત્ય,પ્રેમ અને ભક્તિમાં જે ઝળહળતો પ્રકાશ છે તે વિશ્વાસ જ છે.પરંતુ દુનિયામાં સ્વાર્થ અને તકવાદ નું જ ચલણ છે.વિશ્વાસની કીમત તો પાંચ પૈસાના સિક્કા જેટલી થઇ ગઈ છે.શંકાનું ઝેર માણસને જીવતે જીવ મારી નાખે છે.દૂધમાં છાશનું એક ટીપું પડી જાય,પછી ભલે એનું દહીં,માખણ કે ઘી થાય,પણ એ દૂધ તો નથી જ રહેતું.વિશ્વાસના જળમાં શંકાની કાંકરી પડે એટલે સંબંધનું સરોવર ડહોળાઈ જાય છે.અને જીવન એક અર્થ વગરનો શબ્દ જ બની રહે છે.
માનવી માત્ર હવા,પાણી અને ખોરાકથી જ નથી જીવી શકતો.ભૌતિક ઉપલબ્ધિઓથી પણ એને જીવનની પૂર્ણતાનો અનુભવ નથી થતો.જીવનની સાર્થકતાનો સંતોષ તો માનવીય સંબંધોની હૂંફથી જ પ્રાપ્ત થાયછે.દરેક માણસ આવી હૂંફ ઝંખે છે.કરોડો-અબજો માનવીઓથી ઊભરાતા આ વિશ્વ માં એને કોઈ 'પોતાનું માણસ' જોઈએ. એને માં અને બાળક જેવો પરાધિનતામૂલક સંબંધ જોઈએ, લાગણીના તાંતણાનું બંધન જોઈએ.પણ..માનવીનું લાગણીતંત્ર બહુ સંકૂલ હોય છે.આવા સંબંધમાં પણ એ ઠરી-ઠામ નથી થતો.સંબંધનું પ્રાણતત્વ છે 'વિશ્વાસ'.સત્ય,પ્રેમ અને ભક્તિમાં જે ઝળહળતો પ્રકાશ છે તે વિશ્વાસ જ છે.પરંતુ દુનિયામાં સ્વાર્થ અને તકવાદ નું જ ચલણ છે.વિશ્વાસની કીમત તો પાંચ પૈસાના સિક્કા જેટલી થઇ ગઈ છે.શંકાનું ઝેર માણસને જીવતે જીવ મારી નાખે છે.દૂધમાં છાશનું એક ટીપું પડી જાય,પછી ભલે એનું દહીં,માખણ કે ઘી થાય,પણ એ દૂધ તો નથી જ રહેતું.વિશ્વાસના જળમાં શંકાની કાંકરી પડે એટલે સંબંધનું સરોવર ડહોળાઈ જાય છે.અને જીવન એક અર્થ વગરનો શબ્દ જ બની રહે છે.
like it
ReplyDeleteસરસ. આ પણ એક પ્રકારનું સર્જનાત્મક ગળ્ય છે . એની ફ્લેવરની અલગ માઝા છે . વાહ....
ReplyDelete